By કવિવર રવીન્દ્રનાથ ઠાકુર....

હે પ્રભુ ,
સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ .
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે ,
હાસ્ય અને આનંદ કેમ ના ગુમાવવા તે મને શીખવ .
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે એવી હોય ત્યારે ,
શાંતિ કેમ રાખવી તે મને શીખવ .
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે ,
ખંત થી તેમાં લાગ્યા કેમ રહેવું તે મને શીખવ .
કઠોર ટીકા અને નિંદા નો વરસાદ વરસે ત્યારે ,
તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું તે મને શીખવ.
પ્રલોભનો , પ્રશંસા , ખુશામત ની વચ્ચે ,
તટસ્થ કેમ રહેવું તે મને શીખવ .
ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,
શ્રધા ડગુમગુ થઇ જાય ,
નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય,
ત્યારે ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા

કેમ કરવી તે મને શીખવ. 

1 comment:

Urmi said...

http://www.gujaratsamachar.com/gsa/20090701/guj/supplement/god.html